ભારેલો અગ્નિ
ભારેલો અગ્નિ છે વાસના
તે ‘પર લાગે અહંની ફંક.
ભડકી ઉઠે મન તેનાથી
હરે મનની શાંતિ ને સુખ.
ભારેલો અગ્નિ
ભારેલો અગ્નિ છે વાસના
તે ‘પર લાગે અહંની ફંક.
ભડકી ઉઠે મન તેનાથી
હરે મનની શાંતિ ને સુખ.
Cell is unit of body
Thought is unit of mind
Breath is unit of life
Existance is unit of God
આ નેતાઓ,આ ગુરુઓ, ભરમાવે
લોકોને કહી સાચી જુઠી કથા
‘ને ગાદી ઉપર આસન જમાવી
વધારતા રહે દેશભરમાં વ્યથા
આ ગુરુઓ, આ નેતાઓના જુઓ
કરતૂકો ‘ને તેમના ગોરખ ધંધા
સમય પાકી ગયો છે, હવેતો જાગો
ભગાડો એમને મારી કાંટાળા દંડા
“
શું જરુરત છે ઢૂઢવાની
ખોદીને એ ભૂતની કબર.
શું જરુરત છે ઢૂઢવાની
એ ભાવી જેની નથી ખબર.
જીવી લો બસ વર્તમાને
માણવા જીવનની સફર.
ભાવિ આપે વર્તમાનને
નીત નવી ક્ષણોનું દાન
ભૂત આવી લૂટી લે છે તે
જો વર્તમાન રહે બેધ્યાન.
શ્રદ્ધા અને માન્યતા
શ્રદ્ધા એટલે શું ? માન્યતા એટલે શું? આ બેઉનો એક બીજા સાથે શું સંબંધ છે? આ સવાલોનો શું ઉત્તર છે તે સમજવા પ્રકાશ અને પડછાયાનું ઉદાહરણ લઇએ.કારણ પડછાયા અને પ્રકાશ વચ્ચે જેવો સંબંધ છે તેવો જ સંબંધ શ્રદ્ધા અને માન્યતા વચ્ચે છે. પ્રકાશ એ શકિત છે, અને જયારે તેના માર્ગમાં કોઇ દીવાલ આવે ત્યારે તે દીવાલનો પડછાયો પડે છે અને તે સ્થળે પ્રકાશ ઝાંખો લાગે છે. વળી પડછાયો જોઇને એ દીવાલ શેની બનેલી છે એ જાણી શકાતું નથી. દીવાલની રચના જાણવા માટેતો દીવાલનું જ નિરીક્ષણ કરવું પડે.તો જ તેને યોગ્ય ઉપાયથી હઠાવાય. આ જ પ્રમાણે,મારી દ્રષ્ટિએ, શ્રદ્ધા તો અંતરની શકિત છે, પ્રકાશ છે અને જયારે તેના માર્ગમાં મનના સંશયોની દીવાલ ખડી થઇ જાય છે ત્યારે તેનો પડછાયો પડે છે. આ પડછાયો એટલે જ મન્યતા.બીજા શબ્દોમાં કહી તો માન્યતા એટલે મનમાં જે છે તેનાથી “મા અન્ય” અન્ય કશું છે જ નહીં અગર અન્ય કશું હોઇ શકે જ નહીં એવો ભાવ. શ્રદ્ધાનો આ પડછાયો દૂર કરવો હોય તો સંશયોની દીવાલનું નિરીક્ષણ કરી તેને વિવેક બુદ્ધિના હથોડે તોડી ત્યાંથી હઠાવીએ તો અંતરનો એ પ્રકાશ પૂર્ણ પ્રકાશીત દેખાય.
પ્રકાશ ઝાંખો થવાનું બીજું પણ એક કારણ છે.અને તે એકે આપણે જેમ જેમ પ્રકાશના ઉદ્ભવ સ્થાનથી દૂર જતાં જઇએ તેમ તેમ પ્રકાશ ઝાંખો થતો જાય છે.એ જ પ્રમાણે આપણું મન જેમ જેમ અંતરથી દૂર જતું જાય છે અર્થાત જેમ જેમ બહિર્મુખ થતું જાય છે તેમ તેમ અંતરનો આ પ્રકાશ, “શ્રદ્ધા” ઝાંખી થતી જાય છે. તો શ્રદ્ધાને ઝાંખપ આપતું આ કારણ દૂર કરવું હોય તો ભટકતા મનને અંતરમુખ કરવું જોઇએ અને તે માટે પણ વિવેક બુદ્ધિ જ કામ લાગે છે. શ્રદ્ધાનો આ પડછાયો, માન્યતા, અંધશ્રદ્ધાના નામે પણ જાણીતો છે.પણ મને એમ કહેવું યોગ્ય નથી લાગતું. કારણ કે અંધતો આપણુ મન છે શ્રદ્ધા નહીં. બીજું નામ આપવું જ હોય તો આ માન્યતાને અર્ધશ્રદ્ધા કહેવું વધુ ઉચીત ગણાય.
ઇતિ.
The Tree called Culture
Unlike any other tree, the real charm of a cultural tree is that it can bear fruits of different taste on each of its different branches provided each branch is nourished with a tender loving care. Each family is a branch of this tree and each of them must contribute to its growth in their best possible way. A true culture can only be formed if each of its members contributes by showing his or her individual
Creativity and support by imparting
Unity,
Loyalty and
Tolerance in
Uplifting the group with
Respect and
જે હોઠે તે હૈયે
જે હૈયે હોય તે હોઠે રાખો
જે હોય હોઠે તે રાખો હૈયામાં
આ રીતે જીવન જીવીયે તો
ઉભરાતું રહે સુખ જીવનમાં
નદી, રસ્તા અને ધર્મો
જો રસ્તાને રસ્તા મળે તો
થાયે સફર અતિ સહેલ.
‘ને ઝરણામાં ઝરણા મળી
લાવે નદીઓમાં રેલ
પણ જો
ધર્મોમાં માનવતા ના ભળે
તો વહે રુધિર રેલમછેલ
ગિરીશ ૧૮-૬-’૧૦
ધર્મ અને અધર્મ
અધર્મથી આઘા રહો પણ
ન અભડાશો ધર્મથી કોઇ,
જો હશે માનવતા મન મહીં
તો શું છે જરુરત ધર્મની કોઇ?